Skip to main content

વિશેષતા

 વિશેષતા 

છેલ્લા હજારો વર્ષોથી જેમના પૂર્વજોએ સંગ્રામો ખેડ્યા છે, સંગ્રામો નિહાળ્યા છે, જેઓ સંગ્રમોમાં જન્મ્યા છે અને સંગ્રામોમાં જીવ્યા છે અને સંગ્રામોમાં જ વીરગતિ પામ્યા છે તેવી ગુજરાતની આ શૂરવીર અને લડાયક પ્રજા આજે કયાંક રાજપૂત દરબાર , રજપૂત, જાગીરદાર, મોલેસલામ દરબાર, મોલેસલામ રાજપૂત્ત, તો ક્યાંક પાલવી ઠાકોર, પાલવી દરબાર, ઠાકોર, ઠાકરડા, બારૈયા, પાટણવાડીયા,ધારાળા કે કોળી દરબાર, કોળી રાજપૂત, ભીલવા દરબાર એવા જુદા જુદા નામોથી જુદા જુદા વિસ્તારોમાં આ ક્ષત્રિય સમૂહો ઓળખાય છે. આ તમામે દેશી રજવાડાઓના રક્ષણ કરાવા માટે પોતાના બલીદાનો આપીને લોહી વહાવ્યા છે. ઉપર જણાવેલા આવા અનેક ઊંચા નીચા દરજ્જાના આ શૂરવીરો ના વંશજો પેટા વર્ગોમાં વિભાજીત થયેલા છે. આમ છતાં તેમની લડાયક ખુમારી તેઓએ જાળવી રાખી છે. પરાધિનતા તેમને ખપતી નથી. ભૂતકાળમાં આ લડાયક અને શૂરવીર પ્રજા પોતાને થતા અન્યાય સામે બહારવટે પણ ચડી હતી. આ કોમના કેટલાક પેટા વર્ગો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત રહી જવા પામ્યા છે. આ તમામ જ્ઞાતિઓ માતૃ પક્ષે એકબીજા સાથે પરોક્ષ રીતે જોડાયેલા જ છે. આ લોકો પોતાના માન મોભાના કારણે પોતાનુ દુખ કોઇને કહેતા નથી. આ બધી જાતિઓ એક જ મૂળ લડાયક કોમના ઊંચા નીચા દરજ્જામાંથી નિર્માણ થયેલ છે. બધા એક જ સીડીના પગથીયા હોવા છતાં નીચેના પગથીયાને ઉપરના છેવટના પગથીયા સાથે સિધો સબંધ નથી. મૂળે તો આ તમામ ભારતની ભૂમિની અતિ પ્રાચિન સ્થાનિક લડાયક જાતિના વંશજો છે. આ કોમ છે તો બુધ્ધીશાળી પણ પછાત દશામાં રહેવા પામી છે. શરીરે ખડતલ, ઘઉવર્ણોવાન, સાધારણ, શુષ્ક, ચંચળ મન અને સ્વભાવે નિડર. પહેરવેશમાં આ જાતિના પુરુષો કાછોટો મારી ધોતિયું, માથે દસથી વીસ હાથનું ફાળીયું કે સાફો, હાથમાં કઇકનું કઇક હથિયાર, કાનમાં કડીઓ કે મરચીઓ વિગેરે પહેરતા હોય છે. સ્ત્રીઓ સાલ્લો કે લેરીયુ વિગેરે પહેરતા હોય છે. ઉત્તર ગુજરાતની આ ક્ષત્રિય સ્ત્રીઓ દસ હાથ અને તેથી વધુ કાપડના ઘાઘરા પહેરે છે. 

Comments

Popular posts from this blog

આપણા વિષે

આપણા વિષે              ગરવી ગુજરાત નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદર્ધ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને મૂળિયાં હોય તેમ પ્રજાને તેનાં પણ મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે પોષણ મેળવે છે તેમ પ્રજા પણ તેના અતીતમાં ઊંડે સુધી વિસ્તરેલી તેની સાંસ્ક્રુતિક પરંપરા વાટે પ્રેરણા-પોષણ મેળવે છે. દરેક પ્રજાનું વ્યકતિત્વ આવી પરંપરાથી ઘડાય છે તેમજ વિકસે છે. કનૈયાલાલ મુનશી કહે છે તેમ, જો કોઇ એક સાંસકારિક વ્યકતિ તરીકે પોતાનું આગવું સ્થાન સિધ્ધ કરી શક્યું હોય તો તેની ઉપરોકત સંસ્કાર પરંપરાગતને કારણે. કોઇપણ મનુષ્યનો ચહેરો મહોરો , તેનું કદ, તેનો વાન, તેની પ્રકૃતિની નાની મોટી ખાસિયતો, આ બધું આકસ્મિક હોતું નથી. તે એક સુદિર્ધ, સાતત્યપૂર્ણ અને સંકુલ સાંસ્કૃતિક પરંપરાની નીપજરૂપ હોય છે. આ બધું આપણા ગુજરાતી માટે, આપણા સમાજ માટે, આપણા સમસ્ત ક્ષત્રિય માટે અને સાથે સાથે આપણા ક્ષત્રિય ઠાકોર, કે જે પોતાની આગવી સાંસ્કૃતિક પરંપરાઓ માટે જાણીતો છે, આ બધાય માટેય આ સાચું છે.